ભાગ ૨: સ્વાધ્યાય સોલ્યુશન અને એકમ કસોટી
એકમ ૧: પ્રાણીમાત્રને (ધોરણ ૭ - ગુજરાતી પલાશ)
📝 સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન
- પ્રાણીમાત્ર (દરેક પ્રાણી, દરેક જીવ): ઈશ્વર પ્રાણીમાત્રમાં વસેલો છે.
- જનસેવા (લોકોની સેવા): સંતો જનસેવામાં પોતાનું જીવન વિતાવે છે.
- મધ્યમ માર્ગ (વચલો માર્ગ): સમસ્યાના ઉકેલ માટે મધ્યમ માર્ગ શ્રેષ્ઠ છે.
- સંન્યાસી (જેણે સંસાર ત્યજ્યો છે તે): ગિરનાર પર અનેક સંન્યાસીઓ તપ કરે છે.
- ઉજાળવું (ઊજળું કરવું, સારું કરવું): બાળકે સારા કામથી પરિવારનું નામ ઉજાળ્યું.
- ટેક (પ્રતિજ્ઞા, સંકલ્પ): મહારાણા પ્રતાપે આજીવન પોતાની ટેક પાળી.
- જીવતર (જીવન, સંસાર): સાદું જીવતર સૌને ગમે છે.
- નિર્લેપી (અનાસક્ત, લેપાયા વિનાનું): યોગીઓ સંસારમાં નિર્લેપી રહે છે.
- યોગી (યોગ સાધના કરનાર): હિમાલયમાં અનેક મહાન યોગીઓ વસે છે.
- ખૂંપી (ઊંડા ઊતરવું): ભક્તનું મન પ્રભુની ભક્તિમાં ખૂંપી ગયું.
- ક્ષમાસિંધુ (ક્ષમાના દરિયા જેવા): ભગવાન ઈસુ ખ્રિસ્ત ક્ષમાસિંધુ હતા.
- રહમ (દયા): ગરીબો અને અબોલ જીવો પર રહમ કરવી જોઈએ.
- નેકી (પ્રામાણિકતા): હંમેશા નેકીના રસ્તે ચાલવું જોઈએ.
- વિશ્વશાંતિ (જગતની શાંતિ): સંયુક્ત રાષ્ટ્ર વિશ્વશાંતિ માટે કામ કરે છે.
- જરથોસ્તી (જરથુષ્ટ્રને લગતું): પારસીઓ જરથોસ્તી ધર્મ પાળે છે.
- પ્રશ્ન ૧: તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાઓ છો?
ઉત્તર: અમે શાળામાં 'ઇતની શક્તિ હમે દેના દાતા', 'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું', અને 'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા' વગેરે પ્રાર્થનાઓ ગાઈએ છીએ. - પ્રશ્ન ૨: તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો ?
ઉત્તર: અમે શાળામાં સવારે પ્રાર્થનાસભામાં, જમતા પહેલાં અને રાત્રે સૂતા પહેલાં ઈશ્વરની પ્રાર્થના કરીએ છીએ. - પ્રશ્ન ૩: પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે?
ઉત્તર: પ્રાર્થના મનની શાંતિ માટે, એકાગ્રતા વધારવા, ઈશ્વરનો આભાર માનવા અને સારા સંસ્કારોના સિંચન માટે કરવામાં આવે છે. - પ્રશ્ન ૪: તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે શી શી તૈયારી કરો છો?
ઉત્તર: અમે ગીત કે વિચારના શબ્દો બરાબર કંઠસ્થ કરીએ છીએ. જો ગીત હોય તો લય-તાલ સાથે ગાવાનો પૂર્વ અભ્યાસ કરીએ છીએ અને હાવભાવ સાથે રજૂઆતની તૈયારી કરીએ છીએ.
- યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો:
૧. “માન્યા પોતા સમ સહુને” એટલે... (બ) સૌને પોતાના જેવાં જ ગણ્યાં.
૨. “સદા અમારા અંતરમાં' એટલે... (બ) હંમેશાં અમારા હૃદયમાં રહો.
૩. “ક્ષમા-સિંધુને વંદન હો' એટલે... (ક) ક્ષમાના સાગરને નમન હો. - ભાવ દર્શાવતી કાવ્યપંક્તિ શોધીને લખો:
૧. બધાં કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં.
→ સઘળાં કાર્યો કર્યાં છતાંયે, રહ્યા હંમેશાં નિર્લેપી
૨. એકપત્નીવ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાળી.
→ એકપત્નીવ્રત પૂરણ પાળ્યું, ટેક વણી છે જીવતરમાં
૩. સંન્યાસીના ધર્મને ઉજાળનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજો!
→ સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો, વંદન કરીએ બુદ્ધ તને
૪. બધા જ ધર્મોના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને.
→ સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો.
- કૌંસમાંથી (યોગી, પરમ, સઘળાં, પૂર્ણ, મધ્યમ) શબ્દો મૂકી ખાલી જગ્યા પૂરો:
૧. મહાવીર સ્વામીએ પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું.
૨. ગૌતમ બુદ્ધે મધ્યમ માર્ગનો બોધ આપ્યો.
૩. શ્રીકૃષ્ણ સઘળાં કામો કર્યાં છતાંય રહ્યા હંમેશાં નિર્લેપી!
૪. હજરત મહંમદ પયગંબર રહમ-નેકીના પરમ પ્રચારક હતા. - સાચું વાક્ય કાવ્ય આધારે પસંદ કરો (☑):
૧. અંતર : અંતઃકરણ, મન → ☑ નરસિંહના અંતરમાં હંમેશાં શ્રીકૃષ્ણ રહેતા.
૨. સમ : સરખું, સમાન → ☑ કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી.
- શબ્દોના અર્થ અને નવા ત્રણ શબ્દો:
• પ્રાણીમાત્ર: દરેક પ્રાણી | • જનસેવા: લોકોની સેવા
• એકપત્નીવ્રત: એક પત્નીનું વ્રત | • ન્યાયનીતિમય: ન્યાય અને નીતિથી ભરેલું
• કૃષ્ણપ્રભુ: પ્રભુ શ્રીકૃષ્ણ | • પ્રભુપુત્ર: પ્રભુનો પુત્ર
• ક્ષમાસિંધુ: ક્ષમાનો દરિયો | • વિશ્વશાંતિ: વિશ્વની શાંતિ
કાવ્યમાં વપરાયા ન હોય તેવા ત્રણ શબ્દો: ૧. મહામાનવ, ૨. જીવનકાર્ય, ૩. ધર્મગુરુ. - કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો:
એક નાનકડી ટેકરીની પાછળ રળિયામણું ગામ હતું. ગામમાં આશરે બસો ઘરો હતાં. કોઈનાં ઘર મોટાં તો વળી કોઈનાં ઘર નાનાં. ગામને પાદર કૃષ્ણનું મંદિર. તેના પર સર્વધર્મ ધજા ફરકે. એના આંગણામાં લીલાંછમ ઝાડવાં. તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલ્લોલ કરે. મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો. તેનો મધુર રણકાર સવાર-સાંજ આખા ગામમાં ગૂંજી રહે. આરતી સમયે તો અહીં ખૂબ ભીડ રહે.
- યોગ્ય સંયોજક મૂકી ખાલી જગ્યા પૂરો:
૧. મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું અને બધાં પ્રાણીઓને રક્ષણ આપ્યું.
૨. શ્રીકૃષ્ણે બધાં જ કાર્યો કર્યાં છતાં જીવનભર એ બધાંથી અલિપ્ત રહ્યા.
૩. વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ન શકી.
૪. તમે સવારે નીકળશે કે સાંજે? - યોગ્ય સંયોજક મૂકી વાક્યો ફરીથી લખો:
૧. મેં એને કહ્યું નહોતું છતાં તેણે મારું કામ કરી નાખ્યું.
૨. ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તકમેળામાં જઈશું.
૩. છત્રી હતી તે સારું થયું, નહિ તો તું પલળી ગયો હોત.
૪. સાહેબ કહેશે એટલે/તો આપણે બાલસભા ગોઠવીશું.
૫. કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું તેથી/એટલે હું રમવા નહીં આવું. - ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી સુલેખન કરો:
તેમણે મને પૂછેલું, "તને શાનો શોખ છે?" મેં તરત જવાબ આપેલો કે, "મને ગીત ગાવાનો શોખ છે." આ સાંભળીને તેઓ બોલી ઊઠ્યા, "વાહ! ત્યારે તો આપણે બેઉ સરખા." પછી તો તેમણે મને 'અમર ગીતો' પુસ્તક ભેટમાં આપ્યું. - ત્રણ વ્યંજનો જોડાઈને બનેલા જોડાક્ષર અલગ પાડો:
૧. સ્વાસ્થ્ય : સ્ + થ્ + ય
૨. લક્ષ્ય : ક્ + ષ્ + ય
૩. શાસ્ત્રી : સ્ + ત્ + રી
૪. મત્સ્ય : ત્ + સ્ + ય
૫. જ્યોત્સના : ત્ + સ્ + ન
- ચર્ચા કરો, લખો, રજૂ કરો:
૧. અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ. → અહિંસા એ પરમ ધર્મ છે. જગતમાં દરેક જીવને જીવવાનો અધિકાર છે. આપણે મન, વચન કે કર્મથી કોઈને દુઃખ ન પહોંચાડવું જોઈએ.
૨. પ્રાણીઓ બોલતાં હોત તો? → જો પ્રાણીઓ બોલતાં હોત તો તેઓ મનુષ્યોને તેમની વેદના અને જરૂરિયાતો સમજાવી શકત. જંગલો કપાતા અને શિકાર થતા અટકી જાત.
૩. સર્વધર્મ સમભાવ વિશ્વશાંતિનો માર્ગ. → બધા ધર્મો એક જ ઈશ્વર તરફ જવાનો માર્ગ બતાવે છે. જો આપણે દરેક ધર્મનો આદર કરીએ તો દુનિયામાં લડાઈ-ઝઘડા ન થાય અને શાંતિ સ્થપાય. - પ્રશ્નોના જવાબ લખો:
૧. કાવ્યમાં ક્યા કયા મહામાનવોનો ઉલ્લેખ થયો છે? જવાબ: કાવ્યમાં ભગવાન મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ, શ્રીરામ, શ્રીકૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, હજરત મહંમદ પયગંબર અને અષો જરથુષ્ટ્રનો ઉલ્લેખ થયો છે.
૨. રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે? જવાબ: કારણ કે શ્રીરામ ન્યાય અને નીતિના પ્રતીક છે. તેમના આદર્શો આપણા હૃદયમાં રહે તો આપણું જીવન પણ નીતિમય બને.
૩. કાવ્યનો મુખ્ય સંદેશ શો છે? જવાબ: કાવ્યનો મુખ્ય સંદેશ સર્વધર્મ સમભાવ, જીવદયા અને વિશ્વશાંતિનો છે.
૪. શ્રીકૃષ્ણને યોગી કેમ કહ્યા હશે? જવાબ: શ્રીકૃષ્ણે સંસારના સઘળાં કામો કરવા છતાં કશામાં આસક્તિ રાખી નહોતી. તેઓ અનાસક્ત (નિર્લેપી) રહ્યા, તેથી તેમને યોગી કહ્યા છે. - તમને ગમતી અન્ય પ્રાર્થનાની પંક્તિઓ:
"મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે."
📝 એકમ કસોટી (મૂલ્યાંકન) - 25 ગુણ
એકમ કસોટી - વિષય: ગુજરાતી
ધોરણ: ૭ | પાઠ ૧: પ્રાણીમાત્રને
કુલ ગુણ: ૨૫
પ્રશ્ન ૧: નીચે આપેલા શબ્દોના અર્થ આપો. (કોઈપણ પાંચ) [૫ ગુણ]
LO 6.1 અપરિચિત શબ્દોના અર્થની ધારણા કરે છે.
LO 6.1 અપરિચિત શબ્દોના અર્થની ધારણા કરે છે.
(૧) પ્રાણીમાત્ર (૨) જીવતર (૩) જનસેવા (૪) ક્ષમાસિંધુ (૫) નિર્લેપી (૬) ટેક
પ્રશ્ન ૨: નીચેના શબ્દસમૂહો માટે એક-એક શબ્દ આપો. [૫ ગુણ]
LO 6.8 શબ્દસમૂહ માટે એક શબ્દનો ઉપયોગ કરે છે.
LO 6.8 શબ્દસમૂહ માટે એક શબ્દનો ઉપયોગ કરે છે.
(૧) સંસારનો ત્યાગ કરનાર
(૨) ન્યાય અને નીતિથી ભરેલું
(૩) કોઈ બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ
(૪) જગતની શાંતિ
(૫) યોગ સાધના કરનાર
(૨) ન્યાય અને નીતિથી ભરેલું
(૩) કોઈ બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ
(૪) જગતની શાંતિ
(૫) યોગ સાધના કરનાર
પ્રશ્ન ૩: યોગ્ય સંયોજક (અને, છતાં, તેથી, કે, તો) મૂકી ખાલી જગ્યા પૂરો. [૫ ગુણ]
LO 5.1 ભાષારચનાના ઘટકોનો ઉપયોગ કરી વાક્યરચના કરે છે.
LO 5.1 ભાષારચનાના ઘટકોનો ઉપયોગ કરી વાક્યરચના કરે છે.
(૧) મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું _______ પ્રાણીઓને રક્ષણ આપ્યું.
(૨) શ્રીકૃષ્ણે બધાં જ કાર્યો કર્યાં _______ જીવનભર અલિપ્ત રહ્યા.
(૩) વરસાદ વધુ હતો _______ હું બહાર ન જઈ શકી.
(૪) તમે ચા પીશો _______ કોફી?
(૫) જો સાહેબ કહેશે _______ આપણે બાલસભા ગોઠવીશું.
(૨) શ્રીકૃષ્ણે બધાં જ કાર્યો કર્યાં _______ જીવનભર અલિપ્ત રહ્યા.
(૩) વરસાદ વધુ હતો _______ હું બહાર ન જઈ શકી.
(૪) તમે ચા પીશો _______ કોફી?
(૫) જો સાહેબ કહેશે _______ આપણે બાલસભા ગોઠવીશું.
પ્રશ્ન ૪: નીચે આપેલ કાવ્યપંક્તિનો ભાવાર્થ સ્પષ્ટ કરો. [૫ ગુણ]
LO 2.4 ભાવાત્મક અભિવ્યક્તિ અને લયનો પ્રતિભાવ આપે છે.
LO 2.4 ભાવાત્મક અભિવ્યક્તિ અને લયનો પ્રતિભાવ આપે છે.
"પ્રેમરૂપ પ્રભુ પુત્ર ઇસુ જે ક્ષમાસિંધુને વંદન હો,
રહમ નેકીના પરમ પ્રચારક હજરત મહંમદ દિલે રહો,"
રહમ નેકીના પરમ પ્રચારક હજરત મહંમદ દિલે રહો,"
પ્રશ્ન ૫: નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો. [૫ ગુણ]
LO 4.9 વાક્ય કે પંક્તિઓનો સદષ્ટાંત વિચારવિસ્તાર કરે છે.
LO 4.9 વાક્ય કે પંક્તિઓનો સદષ્ટાંત વિચારવિસ્તાર કરે છે.
"સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો." - આ પંક્તિ દ્વારા કવિ શું સંદેશ આપવા માંગે છે તે તમારા શબ્દોમાં જણાવો.
✅ એકમ કસોટી - ઉત્તરવહી
પ્રશ્ન ૧: (૧) દરેક પ્રાણી/જીવ (૨) જીવન/સંસાર (૩) લોકોની સેવા (૪) ક્ષમાનો દરિયો (૫) અનાસક્ત (૬) પ્રતિજ્ઞા/સંકલ્પપ્રશ્ન ૨: (૧) સંન્યાસી (૨) ન્યાયનીતિમય (૩) મધ્યમ માર્ગ (૪) વિશ્વશાંતિ (૫) યોગી
પ્રશ્ન ૩: (૧) અને (૨) છતાં (૩) તેથી (૪) કે (૫) તો
પ્રશ્ન ૪: કવિ કહે છે કે પ્રેમ સ્વરૂપ ઈશ્વરના પુત્ર ઈસુ ખ્રિસ્ત જેઓ ક્ષમાના સાગર છે તેમને અમારા વંદન છે. તેમજ દયા અને પ્રામાણિકતાના સાચા પ્રચારક હજરત મહંમદ પયગંબર હંમેશા અમારા હૃદયમાં વસો.
પ્રશ્ન ૫: આ પંક્તિ દ્વારા કવિ 'સર્વધર્મ સમભાવ' નો સંદેશ આપે છે. કવિ માને છે કે દુનિયાના તમામ ધર્મોના સ્થાપકો અને મહામાનવોના પવિત્ર કાર્યોની યાદ (સ્મરણો) જો આપણે જાળવી રાખીશું, તો દુનિયામાંથી ભેદભાવ અને નફરત દૂર થશે. આ મહામાનવોએ બતાવેલા પ્રેમ અને કરુણાના માર્ગ પર ચાલવાથી જ વિશ્વમાં કાયમી શાંતિ સ્થાપી શકાશે.
0 Comments